સમય, સ્થળ અને વ્યકિત વિષેની વિગતો - કલમ : 235

સમય, સ્થળ અને વ્યકિત વિષેની વિગતો

(૧) આરોપી ઉપર જે બાબતનું ત્હોમત મૂકવામાં આવ્યું હોય તેની તેને ખબર પડે તે માટે વાજબી રીતે પૂરતી હોય એવી કહેવાતા ગુનાના સમય અને સ્થળ વિષેની અને કોઇ વ્યકિત વિરૂધ્ધ અથવા કોઇ વસ્તુ અંગે ગુનો થયો હોય તો તે વિષેની વિગતો ત્હોમતનામામાં હોવી જોઇશે.

(૨) આરોપી ઉપર ગુનાહિત વિશ્વાસઘાતનું અથવા બદદાનતથી નાણા કે બીજી જંગમ મિલકતનો દુવિનીયોગ કયૅવાનું ત્હોમત મૂકવામાં આવ્યું હોય ત્યારે ચોકકસ વસ્તુઓ અથવા તારીખોનો નિદૅશ કયૅા વિના યથાપ્રસંગ જેના અંગે ગુનો કયૅવાનું કહેવાતુ હોય તે એકંદર રકમનો નિદૅશ કરવામાં આવે અથવા તે જંગમ મિલકત અને જે તારીખો વચ્ચે ગુનો થયાનું કહેવાતું હોય તે તારીખો દશૅાવવામાં આવે તે પૂરતુ થશે અને એ રીતે તૈયાર થયેલ ત્હોમતનામું કલમ-૨૪૨ ના અથૅમાં એક જ ગુનાનું ત્હોમતનામું હોવાનું ગણવામાં આવશે.

પરંતુ એ પ્રમાણે દશૅાવેલ શરૂઆતની અને છેલ્લી તારીખો વચ્ચેની મુદત એક વષૅથી વધુ હોવી જોઇશે નહી.